top of page

17/04/2023

Maru Anand Online

Latest News

Maru Anand

પીવાના પાણીની લાઇનમાં થયેલા લીકેજની મરામત નહીં થતાં રોગચાળાનો ભય

પીવાના પાણીની લાઇનમાં થયેલા લીકેજની મરામત નહીં થતાં રોગચાળાનો ભય

આણંદ શહેરના નાની ખોડિયાર મંદિર સામે છેલ્લા 6 માસથી પાઇપલાઇનમાં લીકેજ હોવાથી દૂષિત પાણી અાવતુ હોવાની સમસ્યા વકરી રહી છે. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાતા નથી. ત્યારે ફરી રહીશોએ શનિવારે પાલિકામાં રજૂઆત કરી હતી. પરંતુ બીજા દિવસે પણ સમસ્યા યથાવત રહેતા વિસ્તારની 50થી વધુ સોસાયટીના 3 હજારથી વધુ લોકોને રોગચાળોનો ભય સત્તાવી રહ્યો છે. તેમજ પીવાનું શુધ્ધ પાણી મેળવવા ભટકવાનો વખત આવ્યો છે. જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

પાલિકા કહે છે સામાન આવશે ત્યારે સમારકામ થશે
આણંદ નાની ખોડિયાર પાસે પાણીની પાઇપ લાઇનમાં પડેલા લીકેજ બાબતે ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત વારંવાર કરવા છતાં આજદિન સુધી રીપેરીંગ કામ થયું નથી. માલસામાન આવશે ત્યારે સમારકામ થશે. તેવા ગોળ ગોળ જવાબ આપે છે.

logo-whatsapp-png-46044_edited.png
bottom of page